Advertisement
Author: નોબત સમાચાર

ઘરકામ બાબતે મેણા મારી પતિ, સાસુ સસરા, મામાજીએ ત્રાસ આપ્યાની રાવ

પતિએ મારકૂટ કર્યાની પણ પરિણીતાની કેફિયતઃ

જામનગર તા.૮ : જામનગરના શ્યામનગરમાં રહેતા મૂળ રાફુદળના આસામી સાથે એક યુવતીના સાતેક વર્ષ પહેલાં લગ્ન થયા પછી તેણીને ઘરકામ બાબતે પતિ, સાસુ, સસરા અને મામાજીએ ત્રાસ આપતા તેમજ પતિએ મારકૂટ કરતા પિયર પરત ફરી ગયેલા આ યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે.

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા શ્યામનગર શેરી નં.૪માં રહેતા સરોજબેન ભાવેશભાઈ સોનગરાએ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ ભાવેશ હીરાભાઈ સોનગરા, સસરા હીરાભાઈ રાઘવભાઈ, સાસુ ઝીણીબેન તથા લાલપુરના સીંગચમાં રહેતા મામાજી સસરા રણછોડભાઈ નારણ ભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તેણીના લગ્ન એપ્રિલ ૨૦૧૭માં લાલપુર તાલુકાના રાફુદળ ગામમાં રહેતા ભાવેશ હીરાભાઈ સાથે થયા પછી છએક મહિના સુધી સારી રીતે રાખ્યા પછી પતિ ભાવેશ, સસરા હીરાભાઈ, સાસુ ઝીણીબેન અને મામાજી રણછોડભાઈએ ઘરકામ બાબતે ત્રાસ આપવાનંુ શરૂ કર્યું હતું.

આ પરિણીતાને પતિ દ્વારા મારકૂટ કરવામાં આવતી હતી. તેનાથી કંટાળી જઈ સરોજબેન ખીમરાણામાં આવેલા પોતાના પિયર પરત ફરી ગયા હતા. જ્યાંથી તેઓએ ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh