Advertisement
Author: નોબત સમાચાર

૪૦૦ જેટલા દબાણકર્તાઓને નોટીસઃ એકાદ બે દિવસમાં કડક કાર્યવાહી થવાની ધારણા

દ્વારકાઃ કોરીડોરના નિર્માણ માટે મેગા-ડીમોલીશન માટે તંત્ર સજજ

દ્વારકા તા. ૮: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાની વિકાસકૂચમાં ભવ્ય કોરીડોરનું નિર્માણ થનાર છે.

આ કોરીડોરના નિર્માણ માટે ડેપ્યુટી કલેકટર ન.પા.ના ચીફ ઓફિસર તથા વહીવટીતંત્રની સંયુકત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કોરીડોર માટેના માર્ગમાં આવડપરા વિસ્તારમાં હાઈવે પર ખોડીયાર ચોકી સામે ૪૦૦ જેટલા આસામીઓને તેમના દબાણો દૂર કરવા નોટીસ આપવામાં આવી છે. આ નોટીસની મુદ્દત પૂર્ણ થવાથી તંત્ર દ્વારા એકાદ-બે દિવસમાં આ તમામ ગેરકાયદે દબાણો હટાવવાના મેગા-ડીમોલીશનની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

બેટ-દ્વારકામાં પણ દબાણો હટાવી લેવા તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં    આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh