Advertisement
Author: નોબત સમાચાર

મરણ તારીખ માટે અંગ્રેજીમાં ફોર્મમાં છપાયું છે 'ડેઈટ ઓફ બર્થ!'

જામનગર તા. ૮: જામનગર સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્મશાનગૃહોમાં થતા પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર સમયે સ્મશાનગૃહમાં મરણ નોંધ માટેનું નિયત ફોર્મ ભરવાનું હોય છે. જે ફોર્મના આધારે સ્થાનિક સ્વરાજની સંસ્થા મૃતકના પરિવારને મૃત્યુનું પ્રમાણપત્ર આપે છે.

આ સરકારી નિયત ફોર્મમાં 'મરણ તારીખ' ગુજરાતીમાં છપાયું છે, પણ તેની સાથે અંગ્રેજીમાં 'ડેઈટ ઓફ બર્થ' છપાયેલું છે. જામનગર સ્થિત મોક્ષ મંદિર સ્મશાનગૃહના કોષાધ્યક્ષ ગિરીશભાઈ ગણાત્રાએ કાયદાકીય કાર્યવાહી માટેના મહત્ત્વના સરકારી ફોર્મમાં છાપકામમાં રહેલી આ ગંભીર ક્ષતિ તાકીદે સુધારવા સંબંધિત વિભાગમાં રજૂઆત કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh