Advertisement
Author: નોબત સમાચાર

નાઘેડી ગામના પાટીયા પાસે બાઈકે ઠોકર મારતા પ્રૌઢ ઘવાયા

બાઈકચાલક સામે કરાઈ ફરિયાદઃ

જામનગર તા.૮ : જામનગરના નાઘેડી ગામના પાટીયા પાસે ગઈ તા.૨ની સાંજે ઉભેલા એક પ્રૌઢને મોટર સાયકલે ઠોકર મારતા ફ્રેક્ચર થઈ જવાથી પ્રૌઢને દવાખાને ખસેડવામાં આવ્યા છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર નાઘેડી ગામમાં ગ્રીન વીલા સોસાયટીમાં રહેતા જયંતિભાઈ બેચરભાઈ ચૌહાણ નામના પ્રૌઢ ગયા ગુરૂવારે સાંજે છએક વાગ્યે નાઘેડી ગામના પાટીયા પાસે ઉભા હતા.

આ વેળાએ જીજે-૧૦-ડીકે ૨૪૦ નંબરના મોટરસાયકલના ચાલકે તેઓને ઠોકર મારી પછાડી દીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા પ્રૌઢને સારવારમાં ખસેડાયા છે. તેમના પુત્ર ભવ્ય ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh