Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાડા અને વાડાની નિષ્ક્રીયતા !
ખંભાળિયા તા. ૮: જામનગર તથા દ્વારકા જિલ્લો સંયુકત હતો ત્યારે ૧૯૯માં જામનગરના ૧૬ લાલપુરના ૧૭ ખંભાળિયાના ૨૧ મળીને કુલ ૫૪ ગામોમાંથી વાડીનાર વિકાસ મંડળ વાડા બન્યો હતો તથા સરકારશ્રીની મંજુરીમાં લાંબી પ્રક્રિયા પછી ૧૯૯૯માં જાહેરનામું બહાર પાડીને વાડાની મંજૂરી અપાઈ જેથી ૫૪ ગામોમાં વિકાસ થઈ શકે પણ ૨૦૨૪ શરૂ થયા સુધી કંઈ જ વિકાસ કાર્ય વાડામાં થયું જ નથી !
આવી જ સ્થિતિ ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળ ખાડાની છે. જેમાં ખંભાળિયા તથા નજીકના સાત ગામો મળીને કુલ આઠ ગામોના વિકાસ માટેની સંસ્થા ૨૦૧૧થી બની ગઈ છે. પણ વિકાસના નામે શૂન્ય જ છે !!
નવાઈની વાત છે જે સરકારે વિકાસ માટે ખાડા તથા વાડા જેવી સંસ્થાઓની રચના કરી પણ આજદિન સુધી વર્ષો સુધી આ સ્સ્થાના પ્રમુખોની કયારેય નિમણૂક કરી નથી કે આ સંસ્થાઓએ વિકાસ કાર્યો માટે કંઈ કર્યુ છે જેથી તેમાં સમાવેશ વિસ્તારોનો વિકાસ થઈ શકે!
નવા ડી.પી. માટે કોઈ તૈયારી ના થઈ હોય બન્ને સંસ્થા પાસે કરના કરોડો રૂપિયા વર્ષોથી પડેલા છે પણ વિકાસ થતો નથી તો નવા કામ પ્લાન માટેની મંજૂરીની ફાઈલો-નકશા વર્ષોથી ધૂળ ખાતા પડયા હોય સરકાર પોતે બનાવેલા વિકાસ સંસ્થા વિકાસ વિસ્તાર માટે ધ્યાન વર્ષોથી ના આપે તે મોટા આશ્ચર્યની વાત છે !!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial