Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરરોજ માત્ર બાવીસને જ એપોઈન્ટમેન્ટ અપાય છે
ખંભાળીયા તા. ૧: ખંભાળીયા આઈટીઆઈમાં લર્નીંગ લાયસન્સ માટેની ટેસ્ટ લેવાય છે. જેમાં દરરોજ માત્ર રર ને જ એપોઈન્ટ આપી બોલાવવામાં આવે છે. તેના બદલે ૮૦ ને બોલાવવામાં આવે તેવી રજૂઆત અવેશ બ્લોચ તથા શબીર ભોકલે કરી છે.
ખંભાળીયા શહેર તથા તાલુકાના ૮૬ ગામોમાંથી મોટી સંખ્યામાં અરજદારો સામે માત્ર રર ને જ એપોઈન્ટમેન્ટ આપવામાં આવતી હોવાથી લર્નીંગ લાયસન્સ માટે દિવસો સુધી રાહ જોવી પડે છે.
ઈ.કેવાયસીમાં મુક્તિ
શિષ્યવૃત્તિ મેળવવા માટે ઈકેવાયસી ફરજિયાત થતાં વિદ્યાર્થીઓ વાલીઓના ટોળા મામલતદાર કચેરીએ ઉમટી પડતા હોય જિલ્લા કલેકટરને દોડવું પડ્યું હતું. ઉચ્ચ કક્ષાએ ફરિયાદો તથા હોબાળા થતાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક વિભાગમાં અનુ. જાતિ, જનજાતિ સિવાય ઈ.કેવાયસી ફરિજયાત નહીં હોવાનું જાણ કરતા વાલીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ-બહેનોમાં રાહત થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial