Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરશુરામ મંદિરના નિર્માણ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાશે
જામનગર તા. ૧: ધાર્મિક ભાવનાઓથી ભરપૂર અને છોટી કાશીથી પ્રચલિત જામનગરમાં શારદા-પીઠાધિશ્વર જગદ્દગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના પગલાં પડ્યા છે. તેઓનું આજે સવારે દરેડ સ્થિત તક્ષશિલા સંકુલમાં આગમન થયું છે. આ ધર્મગુરૂના આગમનથી સમગ્ર શહેરમાં એક અલૌકિક આનંદ છવાયો છે.
પૂજ્ય શંકરાચાર્યજીનું આગમન માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ સનાતન ધર્મના અનુયાયીઓ માટે એક અદ્દભુત અવસર છે. તેઓ અહીં પરશુરામ મંદિરના નિર્માણ માટે જગ્યા નક્કી કરશે અને આ મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળના નિર્માણ અંગે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવાની શકયતા છે. આ નિર્ણયથી જામનગરમાં આસ્થાનું એક નવું કેન્દ્ર ઉભું થશે અને સંસ્કૃતિનો વિકાસ થશે. દરેડ સંકુલમાં પૂ. જગદગુરૂ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી આશીર્વાદ વચન પાઠવશે.
આ પ્રસંગે, શંકરાચાર્યજીના દર્શન અને આશીર્વાદ મેળવવા માટે શ્રદ્ધાળુઓ ઉત્સાહથી ઉમટી રહ્યા છે. દરેડ સ્થિત તક્ષશીલા સંકુલમાં આયોજીત આ કાર્યક્રમમાં સાંજે પ કલાકે પુજ્ય ગુરૂજીના દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જામનગરવાસીઓ માટે આ એક અવસર છે કે તેઓ આ ધર્મગુરૂના આશીર્વાદ મેળવી શકે અને તેમના જીવનને નવો મંત્ર મળે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial