Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પિતૃ કલ્યાણ અર્થે સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા
જામનગર તા. ૧: સિદ્ધિ વિનાયક મંદિર દ્વારા પિતૃ કલ્યાણ માટે શ્રીમદ્ ભગવત્ ગીતાના પંદરમા અધ્યાય તથા શ્રી વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્રના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને તા. ૧-૧૦-ર૦ર૪, મંગળવારના સાંજે ૭.૩૦ વાગ્યે સિદ્ધિ વિનાયક મંદિર, વિનાયક પાર્ક, રામેશ્વરનગર, જામનગરમાં રાખવામાં આવ્યો છે. ચૌદમા શ્રાદ્ધને શહીદ તિથિ તરીકે પણ ગણવામાં આવે છે. તેથી આ સમયે શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઉપરાંત દેશના સૈનિકોની રક્ષા થાય તે માટે ઉપરોક્ત સ્થળે આગામી રવિવારથી સાંજે ૭.૩૦ વાગ્યે હનુમાન ચાલીશાના સામૂહિક પાઠ કરવામાં આવશે. આ કાર્યક્રમના સંકલનકર્તા કૃણાલસિંહ ગોહિલ અને અભિજીતસિંહ જાડેજા આ કાર્ય ઈશ્વરભાઈ ચૌહાણ અને કિરીટભાઈ કારિયાના માર્ગદર્શનમાં યોજાશે. જનતાને આ પાવન કાર્યનો લાભ લેવા પૂજારી વિનાયક ભટ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial