Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશુપાલકોના પશુઓ માટે કૃમિનાશક દવાનું વિતરણઃ
જામનગર તા. ૧: પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર સંચાલિત સરકારી પશુ દવાખાના જામનગર તાલુકા દ્વારા ખીલોસ અને રણજીતપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બન્ને ગામના કુલ ૮પ પશુપાલક લાભાર્થીઓના ૧૬૩ પશુઓને મેડિસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, તેમજ પશુપાલકોના કુલ ર૧૮ પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો. ડી.બી. ગુર્જર અને ડો. બી.જી. ગોસ્વામી દ્વારા ગામના પશુપાલક લાભાર્થી મિત્રોને નફાકારક પશુપાલન વ્યવસાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં, તેમજ એફએમડીસીપીના પાંચમા રાઉન્ડ અને આગામી સમયમાં યોજાનાર ર૧ મી પશુધન વસતિ ગણતરીના આયોજન વિશે માહિતી આપી તેમાં સહયોગી બનવા અંગે સૂચના આપવામાં આવી હતી, તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial