Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તાલુકાના ખીલોસ-રણજીતપરમાં પશુ આરોગ્ય મેળોઃ ૧૬૩ પશુઓને સારવાર

પશુપાલકોના પશુઓ માટે કૃમિનાશક દવાનું વિતરણઃ

   જામનગર તા. ૧: પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર સંચાલિત સરકારી પશુ દવાખાના જામનગર તાલુકા દ્વારા ખીલોસ અને રણજીતપર ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બન્ને ગામના કુલ ૮પ પશુપાલક લાભાર્થીઓના ૧૬૩ પશુઓને મેડિસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી, તેમજ પશુપાલકોના કુલ ર૧૮ પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો. ડી.બી. ગુર્જર અને ડો. બી.જી. ગોસ્વામી દ્વારા ગામના પશુપાલક લાભાર્થી મિત્રોને નફાકારક પશુપાલન વ્યવસાય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં, તેમજ એફએમડીસીપીના પાંચમા રાઉન્ડ અને આગામી સમયમાં યોજાનાર ર૧ મી પશુધન વસતિ ગણતરીના આયોજન વિશે માહિતી આપી તેમાં સહયોગી બનવા અંગે સૂચના આપવામાં આવી હતી, તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh