Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૪૩પ૩ પશુઓ માટે કૃમિનાશક દવાનું નિઃશુલ્ક વિતરણઃ
જામનગર તા. ૧: પશુપાલન શાખા, જિલ્લા પંચાયત-જામનગર દ્વારા સંચાલિત પશુ દવાખાના જામજોધપુર દ્વારા ભોજાબેડી અને જામ આંબરડી ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામના કુલ ૧૦૧ પશુપાલક લાભાર્થીઓના ૧૯૪ પશુઓને મેડીસીન, ગાયનેક, સર્જરીની વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી તેમજ પશુપાલકોના ૪૩પ૩ પશુઓ માટે કૃમિનાશક દવાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વધુમાં પશુચિકિત્સા અધિકારી ડો. આઈ.એમ. ભટ્ટી અને ડો. એમ.એમ. ચૌધરી દ્વારા ગામના પશુપાલક લાભાર્થીઓને પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્યની વિવિધ સહાયકારી યોજનાઓ અને ર૧ મી પશુધન વસતિ ગણતરીના આયોજન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં તેમજ જામનગર જિલ્લા પાણી ક્રૂરતા નિવારણ સોસાયટીની કામગીરી અને પ્રાણીઓ વિરૂદ્ધ ક્રૂરતા રોકવા અંગેના કાયદા વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતાં તેમ નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુક્લ, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial