Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના નંદાણામાં પાણીની મોટર ચાલુ કરવા જતી વેળાએ વીજ આંચકો

ઓખામાં યુવાનને ભરખી ગયો હૃદયરોગનો હુમલોઃ

જામનગર તા. ૧: જામજોધપુરના નંદાણા ગામના એક યુવાન ગઈકાલે જામજોધપુર શહેરમાં ધ્રાફા રોડ પર એક ગેરેજમાં પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેમને વીજ આંચકો લાગતા મૃત્યુ નિપજયું છે. ઓખાના ડાલ્ડા બંદર પર એક દંગામાં મેનેજર તરીકે નોકરી કરતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના વતની યુવાનને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.

જામજોધ૫ુર તાલુકાના નંદાણા ગામના અક્ષયભાઈ ખોડાભાઈ ગોજીયા (ઉ.વ.ર૪) નામના યુવાન જામજોધપુરના ધ્રાફા રોડ પર ક્રિષ્ના સર્વિસ નામના ગેરેજમાં કામ કરતા હતા. જ્યાં તેઓ ગઈકાલે બપોરે પાણીની મોટર ચાલુ કરવા ગયા ત્યારે તેમને કોઈ રીતે મોટરમાંથી વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા પરંતુ તે પહેલાં તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. જીજ્ઞેશભાઈ લાખાભાઈ કાંબરીયાએ પોલીસને જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામાં ડાલ્ડા બંદર પર આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામના પ્રફુલભાઈ ઉગાભાઈ વાઘેલા (ઉ.વ.૩૬) મનોજ મોરીના દંગામાં રવિવારે સાંજે હતા ત્યારે છાતીમાં દુખાવો થવા લાગતા હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં આ યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું મયુર ઉગાભાઈ વાઘેલાએ જાહેર કર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh