Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારે પ્રશ્નો ઉકેલવા હૈયાધારણા આપી
અમદાવાદ તા. ૧: ગુજરાત રાજ્યના કર્મચારી મંડળને રાજ્ય સરકારે પડતર પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી છે.
ગુજરાત રાજ્યના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા થયેલ સમાધાન મુજબ ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દ્વારા મંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા સાથે રૂબરૂ બેઠક કરી ચર્ચા કરવામાં આવી હતી.
બંને મંત્રીઓ દ્વારા માનનીય મુખ્યમંત્રી સાથે આ પડતર પ્રશ્નો બાબતે બેઠક કરી ને ત્યારબાદ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે ફરીથી બેઠક કરવામાં આવી હતી અને આ પડતર પ્રશ્નો બાબતે ખૂબ જ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યા છે, મુખ્યમંત્રી દ્વારા પડતર પ્રશ્નો બાબતે માનનીય મંત્રીઓની કમિટિ, અધિકારીઓ તેમજ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરી અને પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે તે બાબતે ભરોસો આપવામાં આવ્યો છે. આ બાબતે સુખદ સમાધાન થાય તેવા સતત પ્રયાસો કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial