Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હુકમ સામે છેક સુપ્રિમ કોર્ટ સુધી કરાઈ હતી લડતઃ
જામનગર તા. ૧: જામનગરની ગુજરાત મેરીટાઈમ બોર્ડની કચેરીના એક કર્મચારીએ કાયમી થવા માટે જે તે વખતે ઔદ્યોગિક ન્યાયપંચ સમક્ષ ધા નાખી હતી. તેમાં ન્યાયપંચે આ કર્મચારીને કાયમી ગણી તેના લાભ, પગાર આપવા હુકમ કર્યાે હતો. તે પછી સુપ્રિમ કોર્ટ સુધી ચાલેલી લડતમાં તે હુકમ યથાવત રહ્યો હતો. આમ છતાં હુકમ મુજબ કાર્યવાહી ન કરાતા જે તે વખતના બોર્ડના અધિકારીને કોર્ટ ઉઠતા સુધીની સજા ફટકારવામાં આવી છે.
જામનગરમાં ગુજરાત મેરી ટાઈમ બોર્ડની કચેરીમાં ફરજ બજાવતા રોજમદાર કર્મચારી રઘુભાઈ જીવાભાઈ રાઠોડને કાયમી કરવામાં ન આવતા તેઓએ ભારતીય મઝદૂર સંઘ મારફત ઔદ્યોગિક ન્યાયપંચ સમક્ષ કેસ કરી કાયમીને મળતા પગાર અને લાભ મેળવવા અરજી કરી હતી.
ઔદ્યોગિક ન્યાયપંચે તે કર્મચારીને કાયમી કરવા અને તેના પગાર, લાભ ચૂકવવા જે તે વખતે હુકમ કર્યાે હતો. તે હુકમ સામે ગુજરાત મેરીટાઈમ બોર્ડે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારપછી સુપ્રિમ કોર્ટ સુધી અપીલ કરી હતી પરંતુ તેમાં તેઓને નિષ્ફળતા મળી હતી. તે પછી પણ ન્યાયપંચના હુકમનો સંસ્થાએ અમલ ન કરતા રઘુભાઈએ સરકારી શ્રમ ખાતામાં ભારતીય મઝદૂર સંઘ મારફત એવોર્ડ ભંગ અંગેની ફરિયાદ નોંધાવી હતી. સરકારી શ્રમ અધિકારીએ બોર્ડના જે તે વખતના કલાસ વન અધિકારી રમેશકુમાર રામનને આરોપી બનાવી ફોજદારી કેસ દાખલ કર્યાે હતો.
તે કેસ ચાલી જતા મજૂર અદાલતે ઔદ્યોગિક વિવાદ અધિનિયમની કલમ ૧૭ (એ) (૧) હેઠળ રમેશકુમારને તકસીરવાન ઠરાવી કોર્ટ ઉઠતા સુધીની સજા અને સંયુુક્ત રીતે રૂ. ૨૦ હજારનો દંડ ભરવા હુકમ કર્યાે છે અને તે રકમ કામદારને ચૂકવી આપવા આદેશ કર્યાે છે. લેબર કોર્ટના જામનગર જિલ્લાના અત્યાર સુધીના ઈતિહાસમાં આવી રીતે કોઈ સંસ્થા કે તેના અધિકારીને સજાનો હુકમ થયો નથી ત્યારે આ ચૂકાદો ઐતિહાસિક ગણી શકાય. કામદાર તરીકે વકીલ જયેશ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial