Advertisement
Author: નોબત સમાચાર

જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર પૂર્વની સુવર્ણ જયંતિ નિમિત્તે યોજાનારા વિવિધ સેવાકીય કાર્યો માટે હોદ્દેદારોની નિમણૂક

જામનગર તા.૧: જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર પૂર્વની સ્થાપનાને ગાંધી જયંતિના દિવસે ૪૯ વર્ષ પૂર્ણ અને પ૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરશે. સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવશે.

પ્રમુખ કીર્તિભાઈ કેવલીયાની અધ્યક્ષતામાં તાજેતરમા દયારામ લાયબ્રેરીમાં યોજાયેલી જનરલ મિટિંગમાં સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમો માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ચેરમેન પદે અતુલ મહેતા, વાઈસ ચેરમેન પદે નટુભાઈ પારેખ તથા સભ્ય તરીકે મુકેશભાઈ શાહ, હસુભાઈ ગુંસાણી, અશોકભાઈ નથવાણી, કમલભાઈ વ્યાસ, રમેશભાઈ ભટ્ટ, તથા કીર્તિભાઈ કેવલીયાની નિમણૂક કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh