Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળની રજુઆત
જામનગર તા. ૧: જામનગરમાં જ્યાં સ્માર્ટ વીજ મીટર લગાવાયા છે ત્યાં વીજ બીલ મળતા નહીં હોવા અંગેની ફરિયાદ ઉઠવા પામી છે.
જામનગર ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી કિશોર મજીઠીયાએ પીજીવીસીએલના ડાયરેકટર અને જામનગર અધિક્ષક ઈજનેરને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું છે કે, શહેરના અમુક રહેણાંક મકાનોમાં સ્માર્ટ વીજ મીટર લગાવાયા છે.અમુક સ્માર્ટ મીટર રેગ્યુલર ચાલતા નથી. તેમજ વીજ કર્મચારીઓ બીલ બનાવવા માટે પણ આવતા નથી. પરિણામે લાંબા સમયગાળા પછી ગ્રાહકોને એક સાથે વીજ બીલની રકમ ભરપાઈ કરવાનો વખત આવશે. આમ વીજ કંપનીની ભૂલ નો ભોગ ગ્રાહકને બનવું પડશે શા માટે?
જો સ્માર્ટ મીટર વ્યવસ્થિત ચાલતા ન હોય તો પરત લઈ જવા જોઈએ અને જુના મીટર પરત આપવા જોઈએ. આ સમસ્યાનું સમાધાન સત્વરે કરવામાં આવે તે જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial