Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષાચાલક સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. ૧: જામનગરના માંડવી ટાવર વિસ્તારમાં ત્રણ સપ્તાહ પૂર્વે સાંજના સમયે ખરીદી માટે ગયેલા એક વૃદ્ધાને રિક્ષાએ ઠોકર મારી હતી. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા વૃદ્ધાને સારવારમાં ખસેડાયા છે.
જામનગરના કિસાનચોક વિસ્તાર ૫ાસે માલદે ભુવન નજીક વસવાટ કરતા એડવોકેટ વિનયભાઈ કનખરા તથા તેમના માતા હીનાબેન ગઈ તા.પની સાંજે માંડવી ટાવર નજીક ખરીદી કરવા માટે ગયા હતા.
આ વેળાએ બર્ધનચોક તરફથી દોડી આવેલી જીજે-૧૦-ટીડબલ્યુ ૬૯૬ નંબરની રિક્ષાના ચાલકે હીનાબેનને ઠોકર મારી પછાડી દીધા હતા. ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા આ વૃદ્ધાને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. રિક્ષા ચાલક સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રવિરાજ કનખરાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial