Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનું પેપર લીક થયું નહોતું, આઈએમપી પ્રશ્નો વાયરલ થયા હતાઃ રિપોર્ટ

તપાસ સમિતિનો શંકાસ્પદ રિપોર્ટ બન્યો ચર્ચાસ્પદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૬: જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના બીએએમએસ કોર્સની ત્રીજા વર્ષની પરીક્ષાના શલ્યતંત્ર-૧ વિષયનું પ્રશ્ન પેપર પરીક્ષા અગાઉ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચા જાગી હતી.

આ ચર્ચાસ્પદ પ્રકરણમાં તત્કાલિન વીસીએ તપાસ સમિતિની રચના કરી હતી. આ તપાસ સમિતિએ બે કોલેજોની મુલાકાત લઈ પ્રોફેસરો, વિદ્યાર્થીઓના નિવેદનો નોંધ્યા હતાં અને તેનો રિપોર્ટ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને સોંપ્યો હતો.

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે તપાસ સમિતિએ તેના અહેવાલમાં પેપર લીક થવાના દાવાને ફગાવી દીધો છે. સમિતિએ એવું જણાવ્યું છે કે જે પ્રશ્નો વાયરલ થયા તે 'મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેસ્ચન' (એમઆઈપી પ્રશ્નો) જ હતાં.

આ પ્રકારના અહેવાલ સાથે યુનિવર્સિટી દ્વારા સમગ્ર પ્રકણ ઉપર પડદો પાડી દેવાનો ખેલ થયો હોવાની ચર્ચા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ અને અસંતોષ ફેલાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh