Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાથી દ્વારકા વચ્ચે સોળ વર્ષ પહેલા થયેલી લૂંટના ગુન્હાના આરોપીઓની મુક્તિ

બેંકના રૃા.રપ લાખની લૂંટનો મામલોઃ

જામનગર તા. ૧૧ઃ ખંભાળિયાથી દ્વારકા વચ્ચેના ધોરીમાર્ગ પર સોળ વર્ષ પહેલા રૃા.રપ લાખની થયેલી દિલધડક લૂંટના ગુન્હામાં ઝડપાયેલા આરોપીનો અદાલતે છૂટકારો ફરમાવ્યો છે.

ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર ગઈ તા.૯-૭-૨૦૦૭ના દિને વડત્રા ગ્રામીણ બેંકના કેશીયર બિપીનભાઈ એચ. વ્યાસ ખેડૂતોના ધિરાણની આપવાની થતી રકમ રૃા.રપ લાખ સાથે રાખી વડત્રા જવા નીકળ્યા હતા. તેની સાથે બેંકના પટ્ટાવાળા પ્રવીણ મેઘજી પાણખાણીયા તથા મોટરનો ચાલક હતા.

માર્ગમાં એક મોટર ઓવરટેક કરીને આગળ આવીને ઉભી રહી ગઈ હતી. તેમાંથી ઉતરેલા ત્રણ શખ્સે મરચાની ભૂક્કી, તલવાર, રિવોલ્વર બતાવી હતી અને ભૂક્કી છાંટી, તલવારથી મોટરનો કાચ તોડી રૃા.રપ લાખની રકમની લૂંટ ચલાવી હતી. આ ગુન્હાની તપાસમાં પોલીસે સુરત, કચ્છ સુધી તપાસનો દૌર લંબાવી અશ્વિન વસરા, પ્રવીણ મેઘજી, પ્રકાશ બાબુભાઈ, મેરામણ રાણા, જીજ્ઞેશ હીરા, હીરા લાખા, બાલા લાખાની ધરપકડ કરી હતી. આ શખ્સોએ જામનગરમાં એકત્ર થઈ ઉપરોક્ત કાવતરૃ આચર્યાની કબૂલાત આપી રૃા.૨૪ લાખ ૮૯ હજાર કાઢી આપ્યા હતા.

ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીઓના વકીલ ડો. વી.એચ. કનારા, એન.એમ. ધ્રુવ, દીપક વ્યાસ, ધીરેન કનારાની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh