Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બ્રેઈન હેમરેજ થયા ૫છી યુવક પર કાળનો પંજોઃ
જામનગર તા. ૧૧ઃ જામનગરના રણજીતસાગર રોડ પર એક સોસાયટીમાં સેન્ટીંગ કામ કરતા યુવાન પડી ગયા પછી ઈજા પામતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. જયારે ખંભાળિયાના યુવાનને બ્રેઈન હેમરેજ થયા પછી તેઓનું મૃત્યુ થયું છે.
જામનગર નજીકના ઠેબા બાયપાસ નજીક સરદાર સોસાયટીમાં વસવાટ કરતા મૂળ જામવંથલી ગામના પ્રવીણભાઈ રામજીભાઈ મણવર (ઉ.વ.૩૮) નામના યુવાન સેન્ટીંગ અંગેનું કામ કરે છે.
તેઓ હાલમાં રણજીત સાગર રોડ પર જે.જે. જશોદા નામની સોસાયટીમાં ચાલતા કામ પર હતા ત્યારે ગઈ તા.૪ની સવારે સીડી પાસેથી પડી ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા પ્રવીણભાઈનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. અમિત દેવજીભાઈ ગોહિલે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયાના જડેશ્વર ટેકરી વિસ્તારમાં વસવાટ કરતા ઈશાકભાઈ ઈસ્માઈલભાઈ સંઘાર નામના પ્રૌઢને બ્લડપ્રેસર વધ્યા પછી હેમરેજ થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ પ્રૌઢનંુ મૃત્યુ નિપજ્યાનું અનવરભાઈ ઈસ્માઈલભાઈ સંઘારે પોલીસને જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial