Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં વિન્ડ ફાર્મ કંપનીઓ દ્વારા નીતિ-નિયમનો ઉલાળિયો

'આપ' દ્વારા કલેક્ટરને આવેદનપત્રઃ ખેડૂતો પર અત્યાચારની રજૂઆત

જામનગર તા. ૧૧ઃ જામનગર જિલ્લામાં વિન્ડ ફાર્મ કંપનીઓ દ્વારા થતા નિયમ ભંગ અને ખેડૂતો ઉપર થતાં અત્યાચાર અને દમનગીરીથી થતાં કામો અટકાવવા અને તેમની વિરૃદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસરામભાઈ રાઠોડ અને પ્રદેશ મંત્રી પ્રકાશ દોંગાએ જામનગર જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, વિન્ડ ફાર્મ કંપનીઓ બેફામ બની છે. ખેડૂતોની જમીન, સરકારી ખરાબા, ગૌચરની જમીનમાં માથાભારે મળતિયાને સાથે રાખી પવનચક્કીઓ ઊભી કરે છે. આ માટે રસ્તાઓ બનાવવા ગેરકાયદે ખોદકામ કરે છે. માટી મોરમ કાઢે છે. સરકારી તંત્રએ જાણે છૂટ આપી હોય તેમ જોવા મળી રહ્યું છે.

પવનચક્કીથી વિદ્યુત મથક સુધી પાવર પહોંચાડવા માટે જે લાઈનો દ્વારા વીજપોલ કે ટાવર નાખવામાં આવે છે તેમાં ખેડૂતોની જમીનમાં પૂછ્યા વગર જમીન સંપાદનની ગાઈડનું પાલન કર્યા વગર રાજકીય વગ ધરાવતા કોન્ટ્રક્ટરના મળતિયા દ્વારા ખેડૂતોને દબાવી કામ કરવામાં આવે છે.

ખેડૂતોને વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા વળતર ચૂકવવામાં પણ ભેદભાવ રાખવામાં આવે છે. નિયમનો ઉલાળિયો કરવામાં આવે છે. આથી આવી કંપની સામે યોગ્ય પગલાં લેવાની જરૃર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh