Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એસ.બી. શર્મા સ્કૂલના આચાર્યા
જામનગર તા. ૧૧ઃ જામનગરની એસ.બી. શર્મા વર્લ્ડ સ્કૂલના આચાર્યા શ્રીમતી ઉપાસના અવસ્થીને તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા એજ્યુકેશન એકસીલેન્સ એવોર્ડ્સ-ર૦ર૩ (ઈઈસી) સમારોહમાં એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
તેઓ એક સારા સંવાદકાર, પ્રશિક્ષક અને નિપુણ વહીવટકર્તાના ગુણો સાથે એક વ્યાવસાયિક આચાર્ય છે. તેઓ અત્યંત કુશળ શિક્ષક છે અને શિક્ષણ ક્ષેત્રે નવા ફેરફારો સાથે હંમેશા પોતાને અદ્યતન બનાવી રાખે છે. તેમણે શાળા પરિસરમાં યોજાતી તમામ અભ્યાસક્રમ અને અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધેલ છે.
તેઓ શિક્ષકની સફરથી શરૃ કરી પ્રગતિની દિશામાં આચાર્યની સફર સુધી શિક્ષક ક્ષેત્રમાં ચોવીસ વર્ષ અવિરત શ્રેષ્ઠ યોગદાન આપતા રહ્યા છે. તેમણે આ શાળામાં પોતાનું આગવું વ્યક્તિત્વ સ્થાપિત કર્યું છે. દેશના ટોચના એકસો આચાર્યોમાં તેમની પસંદગી થઈ હતી. આ ઉપરાંત રાઉન્ડ ટેબલ ચર્ચામાં પણ પ્રતિષ્ઠિત વકતા તરીકે માન્યતા આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial