Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસે થયેલી વીસ લાખની રોકડની લૂંટમાં જામીનમુક્તિ

સાત મહિના પહેલાં વેપારીના હાથમાંથી ઝૂંટવાયો હતો થેલોઃ

જામનગર તા. ૧૧ઃ જામજોધપુરના માર્કેટીંગ યાર્ડ પાસેથી સાત મહિના પહેલા એક વેપારીના હાથમાંથી રૃા.૨૦ લાખની રોકડવાળા થેલાની ચીલઝડપ થઈ હતી. આ ગુન્હામાં ઝડપાયેલા સુરતના આરોપીને ગુજરાત હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે.

જામજોધપુરના માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરતા એક વેપારી ગઈ તા.૧૪ માર્ચની બપોરે બારેક વાગ્યે જીરૃ તથા ધાણાની ખરીદી કરવા માટે નાણા ઉપાડવા માર્કેટીંગ યાર્ડ નજીક આવેલી ખાનગી બેંકમાં ગયા હતા. જ્યાંથી તેઓએ રૃા.૨૦ લાખ ઉપાડી થેલામાં મુક્યા હતા અને આ વેપારી યાર્ડ આવવા રવાના થયા હતા.

તેઓ જ્યારે યાર્ડ નજીક પહોંચ્યા ત્યારે સ્પીડબ્રેકરમાં બાઈક ધીમુ પાડતા જ પાછળથી આવી ચડેલા ડબલ સવારી બાઈકમાં પાછળ બેસેલા શખ્સે રૃા.૨૦ લાખની રકમવાળો થેલો ઝૂંટવ્યો હતો અને બાઈક સ્થળ પરથી નાસી છૂટ્યું હતું.

આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી શરૃ કરાયેલી તપાસમાં સુરતના દસ્તગીર ઉર્ફે રબ્બાની શકીલ કુરેશી નામના શખ્સની રૃા.૧૮ લાખ ૫૦ હજારની રોકડ સાથે ધરપકડ કરાઈ હતી. જેલહવાલે થયેલા આ શખ્સે જામીનમુક્ત થવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા અદાલતે તેને રૃા.૧૦ હજારના જામીન પર મુક્ત કરવા હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ અબરારઅલી ઘોરી, મેહુલ પાડલીયા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh