Advertisement
Author: નોબત સમાચાર

ચેક પરતના કેસમાં એક વર્ષની કેદસજા

રૃા.૩ લાખ દંડપેટે ભરવા અદાલતનો આદેશઃ

જામનગર તા. ૧૧ઃ જામનગરના એક આસામીને રૃા.૩ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરમાં સિદ્ધનાથ ટ્રેડીંગ નામની પેેઢી ચલાવતા લક્ષ્મીદાસ કલ્યાણજી શેઠીયા પાસેથી તેમના મિત્ર અકબર હુસેન હિંગરોજાએ રૃા.૩ લાખ હાથઉછીના મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી વસૂલાત વગર પરત ફર્યાે હતો.

આ બાબતે નોટીસ પાઠવાયા પછી અકબર હિંગરોજા સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને રૃા.૩ લાખનો દંડ ફટકાર્યાે છે. દંડની રકમ વળતરપેટે ચૂકવી અપાશે. દંડ ભરવામાં ન આવે તો વધુ બે મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ફરિયાદી તરફથી વકીલ નયન કનખરા, કપિલ વશીયર રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh