Advertisement
Author: નોબત સમાચાર

યુનિવર્સિટી કક્ષાની સ્પર્ધામાં બે રજત ચંદ્રક મેળવ્યાઃ દ્વારકાનું ગૌરવ

શંકરાચાર્ય ગુરૃકુલમ્ દ્વારકાએ

'સ્પર્ધા વર્તતે જ્ઞાનમ' આ સૂક્તિને ચરિતાર્થ કરવા માટે શંકરાચાર્ય ગુરૃકુલમના છાત્રો શ્રીસોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ૧૭ માં યુવક મહોત્સવમાં સ્પર્ધા માટે ગયા હતાં. જેમાં દોડ, ચક્રફેંક, ગોળા ફેંક, કબડ્ડી, વોલીબોલ, બેડમિન્ટન જેવી  સ્પર્ધાઓ તથા બૌદ્ધિક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમા મિશ્રા દિવ્યેશ દેવેન્દ્રભાઈએ ૧પ૦૦ મી દોડમાં દ્વિતીય સ્થાન સાથે રજતપદક પ્રાપ્ત કર્યું તથા તિવારી હર્ષિત રાકેશભાઈએ ૪૦૦ મી દોડમાં દ્વિતીયસ્થાન સાથે રજતપદક પ્રાપ્ત કરીને માતા-પિતા તથા ગુરુકુળનું નામ ઉજ્જવલ કર્યું હતું. આ છાત્રોને જગતગુરૃ શંકરાચાર્યજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયા હતાં. તથા બ્રહ્મચારીજી અને બધા જ ગુરૃજનો દ્વારા આશિષ, અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh