Advertisement
Author: નોબત સમાચાર

ટપાલ સેાને લગતા વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત યોજાશે

અમદાવાદમાં આગામી તા. ર૯ મી એપ્રિલે

અમદાવાદ તા. રરઃ ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ, ગુજરાત સર્કલની કચેરી, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧ માં આગામી તા. ર૯-૪-ર૦ર૪ (સોમવાર) ના બપોરે ૧ર વાગ્યે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલતમાં નીતિવિષયક બાકતો સિવાયની ટપાલ સેવાઓને લગતા મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે. ટપાલ સેવા સંબંધી અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો આસિસ્ટન્ટ પોસ્ટ માસ્ટર જનરલ (વિજલન્સ ઓફિસર), કેપ્લઈન્ટ સેક્સન, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી, ગુજરાત સર્કલ, ખાનપુર અમદાવાદ-૩૮૦ ૦૦૧ ને મોડામાં મોડી તા. ર૪-૪-ર૦ર૪ (બુધવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા પછી મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિં. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૃરી છે. નીતિવિષયક આધારિતી મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh